________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ઉપાર્જન કર્યું છે. ઠાકોરસાહેબ લખધીરસિંહજી મેરબીથી વખતોવખત ફેનથી ખબર પૂછતા. જે કાંઈ જઈ એ તે તરત જ મોકલી આપતા. આવા ધર્મ પ્રેમી અને પ્રજાવત્સલ રાજા-રાણીના પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી માટેના આવા ઉત્કટ આદર અને સેવાભાવ એ એક રીતે જેમ તેમની ઉચ્ચ સંસ્કારિતા દર્શાવે છે, તેમ બીજી રીતે આપણા ભારતદેશની પવિત્ર પ્રાચીન પ્રણાલિકાની ઉચ્ચતાનું સમરણ કરાવે છે. આવા સુજ્ઞ રાજવીઓનું આવું ઉદાત્ત વર્તન એ વાતની સાક્ષી પૂરે છે કે તેમણે શ્રીમદ્દ કથિત એ વચન જીવનમાં ઉતારી દીધું છે : “ રાજા હો કે રંક હા-ગમે તે હાપરંતુ....આ કાયાનાં પુગળ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માગનાર છે* ?” અને એમને એ વાતનું નિત્યસ્મરણ હોય છે કે, “ સર્વોત્તમ પદ સવ ત્યાગીનું છે.”*
* “ પુષ્પમાળા’ ૧૯, * શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વદીપિકા ” પાનું ૬૪, “વચનામૃત” ૧૩.