________________
૧૨૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www પોતે કેટલો સદગુણી હતો તેને ખ્યાલ એક જ દાખલાથી આપીશું. પોતાનું શરીર કેવળ હાડપિંજર થઈ ગયું હતું, એટલે બિછાનામાં પડી રહેવાથી દુઃખ થઈ આવતું. એક વખત તેની કાકીએ શરીર દાખવાનું કહ્યું એટલે વિનમ્રભાવે ખચકાયા. પિતાના શરીર માટે કોઈને શ્રમ આપવાનું એને રુચતું ન હતું. પછી
જ્યારે તેની દાદીએ કહ્યું, “તારી કાકી એ તારી મા જ છે; માના સતેષ માટે ચંપાવવામાં હરકત નહીં !” ત્યારે તેણે હા પાડી.
હાઈ કોર્ટના મુકદ્દમા દરમ્યાન પોતે મોરબીથી વિદ્યાભ્યાસ છોડી મુંબઈ આવીને કાકાની સાથે કેસને અંગે કલકત્તા, રંગૂન, સુધી આવીને કાકાને જે સહાય કરી હતી તેને આ કાકા અને ભત્રીજા સિવાય અન્ય કોઈને ખ્યાલ આવી શકે તેમ નથી. રંગૂનથી પાછા ફરતાં પવિત્ર “ સમેત શિખરજી”ની યાત્રા કરી હતી. વ્યાધિ લાગુ પડયો તેની શરૂઆતમાં પવિત્ર “શેત્રુજય સિદ્ધક્ષેત્ર”ની યાત્રા કરી હતી.
એક બાળકનું ચરિત્ર આવી ઝીણીઝીણી બાબતો સહિત એટલા માટે આપ્યું છે કે જેથી જ્ઞાની પિતાને કેવા વારસો મળે છે તેને ખ્યાલ આવતાં જ્ઞાની પ્રત્યે પ્રમોદભાવના ઉત્પન્ન થાય. શાસ્ત્રકારોએ કહ્યું છે કે, ઉત્તમ કુળમાં જન્મ થયો તે એક સુંદર કર્મ છે. ભાઈ છગનલાલનું શ્રીમાન્ રાજચંદ્રના પુત્ર તરીકે ઉત્પન્ન થવું અને તેથી આવા સંસ્કારી થવાનું બન્યું તે એ સિદ્ધ કરી આપે છે. બાળવયમાં કુટુંબવાત્સલ્ય અને આત્માર્થવૃત્તિ હાવાં એના કરતાં ક્યા વધારે સગુણ હોઈ શકે ? મંગળવારની બપોરે જ્યારે કંઈ કહેવા કારવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેના મુખમાંથી એવા ઉદ્દગાર નીકળેલા કે “ આ દેહ મારો ન થયો, તે મારું બીજુ કોણ સગું થવાનું છે કે હું કાંઈ ભલામણ કરું ? ” એ એની જીવનદૃષ્ટિ સૂચવે છે.
દેહપૂર્ણતાએ આત્માના કલ્યાણ સિવાય બીજુ કાંઈ ન સંભળાય એવી તેની અખંડ વૃત્તિ રહેલી તે એક દાખલા ઉપરથી જણાય છે. દેહત્યાગ પહેલાં આઠદસ દહાડે ભાઈ નવલચંદભાઈએ કહ્યું, મનના આનંદ ખાતર કેાઈનું ફોગ્રાફ મંગાવે. ગામના