________________
૧૨૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
એ કાવ્ય વંચાવ્યાં. તેનું ખરાખર એ કલાક શ્રવણ કર્યુ.... દેહત્યાગ પહેલાં ચાર દિવસે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની પ્રસ્તાવના કે જેમાં આત્મા હોવાપણા સંબધીના છ પદનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યું છે તે વંચાવ્યું; અને દેહ પ્રત્યે કેવી રીતે ભ્રાંતિ થાય છે તેના સ્પષ્ટ ખુલાસા પૂછીને તેની સમજણ પ્રાપ્ત કરી લીધી. આત્મા ત્રણે કાળમાં અમર છે તે શી રીતે તે ખરાખર દૃષ્ટાંતપૂર્વક ત્યાર પછી સમજ્યા. એ ઉપરાંત પિતાએ દેહત્યાગ પહેલાં નવ દિવસે લખેલુ “ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ” આખુ કાવ્ય સમજવા માટે વહેંચાવ્યું. આ કાવ્યમાં પ્રવચન સમુદ્ર–બિંદુમાં ઊલટી આવે જેમ, પૂર્વ ચૌદની લબ્ધિનુ ઉદાહરણ પણ તેમ” એ એ પદ ઉપર પાતે લખાણ ચર્ચા કરી.
CC
જ્યારે વેદના સહન ન થતી ત્યારે વારવાર તે કહેતા, ‘કાકા, હું કેવા દુષ્ટ અને પાપી છું કે વેદના થાય છે ત્યારે આત્મા ચૂકી જાઉં છુ ! ધન્ય છે, ખાપુને (શ્રીમદ્જીને)! તેએ કેવી અપૂર્વ શાંતિ રાખતા હતા !”
મૉંગળવારની રાત્રીના સવા ત્રણ વાગ્યે શ્વાસેાચ્છ્વાસ શાંત થવા લાગ્યા. મગળવારની સવારથી તેણે કહ્યું, “હવે મને દવા આપવી ખંધ કરો. કાકા, આ દેહ ટકવાના નથી. ’' સવારથી શરીર ઠંડું પડવા લાગ્યું હતું. તાવ ૧૦૪ ડિગ્રી રહેતા તે ઘટીને શીતમાં આવી જવાથી ૯૬ ડિગ્રી થઈ ગયા હતા. મગળવારની મારે આ લખનાર (તેના હદ્ભાગી કાકા)ના મનમાં એમ થયું કે તબિયત વધારે લથડી રહી છે. તે તેને કઈ મા કે ભાઈ-ભાંડુ માટે કહેવાની ઇચ્છા હાય તેા સૂચન કરવું; પણ તેની સાથે મનમાં એમ આવ્યું કે જો તેને સૂચના આપીશ તા તેને મેાતની નેાટીસ આપવા જેવું થશે. માટે એવી રીતે કહેવુ કે જેથી તેને તેવું કઈ ન લાગે. આ ઉપરથી જુદાજુદા પ્રકારનું આશ્વાસન આપી કહ્યું, “ભાઈ, શાસ્ત્રકારોએ તે અનિત્ય, અશરણુ, એકત્વ આદિ ભાવનાએનું સ્વરૂપ ભાષામાં કહ્યું છે, પણ તું તે પ્રત્યક્ષ વેઢે છે. તેા, તું અમને તે વિશે કશીક એવી વિચારણા દર્શાવ કે જેથી તે વિચારણા અમને બધાંને આખા જીવનપર્યંત એક ભામિયારૂપ બની રહે.