________________
૧૧૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
www
wઅને
ગામવાસીઓને તથા આજુબાજુનાં આઠદસ ગામના ભાઈ એને પણ સારી રીતે સહાયભૂત થયા છે અને થાય છે. તેથી સંસ્થાની ઉજજ્વળતા વૃદ્ધિ પામી છે. અને ઘણાં માણસો-મન અને તનનાં રાગીઓ –તેમનો લાભ લઈ રહ્યાં છે. તેઓની નિઃસ્પૃહ ભક્તિ, સરળતા, લઘુતા, નમ્રતા આદિ ગુણો સૌ ઉપર છાપ પાડે છે એથી મારા મનને ઘણા સ તોષનું કારણ થયું છે. આ નિઃસ્પૃહ સેવા કરવાની શક્તિમાં પ્રભુ દિનપ્રતિદિન ખૂબ જ વૃદ્ધિ કરી એ જ પ્રભુને પ્રાર્થના છે.