________________
૬૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અને કામ પ્રસંગે ધારસીભાઈને ત્યાં જતા હતા. ધારસીભાઈ શાસ્ત્રના સારા જાણકાર અભ્યાસી હતા. એક વાર કૃપાળુદેવ તેમને ઘેર હતા. એક સ્થાનકવાસી મુનિ ત્યાં પધાર્યા. તેમણે ધારસીભાઈને કહ્યું, “ આજે રવિવાર છે એટલે કોર્ટમાં રજા હશે; માટે બપોરે તમે સ્થાનકમાં આવજો. ‘શ્રી ગાંગેય અણગાર’ના ભાંગા મને બરાબર સમજાતા નથી. આપણે બંને મળી વિચારીશું.” તે સાંભળી, ધારસીભાઈ તો જમીને બહાર ગયા. કૃપાળુદેવે એક કેરા કાગળ લઈ તેના મથાળે શીર્ષક લખ્યું:
ગાંગેય અણગારના ભાંગાનું અપૂવ રહસ્ય.’ આખુંય અણગીર ભણી જતાં પણ ન મળે એવું સુગમ શૈલીમાં તેનું સમાધાન લખી એક નાની ચોપડીમાં તે કાગળ મૂકી પિતે ફરવા ચાલ્યા ગયા. એટલામાં ધારસીભાઈ બહારથી આવ્યા, ત્યારે બકરી ઘરમાં આવીને પેલી ચોપડી મેઢામાં લેતી હતી તે ધારસીભાઈ એ જોયું. બકરીને બહાર કાઢતાં તેના મુખમાંથી ચોપડી પડી ગઈ અને કૃપાળુદેવે લખેલો કાગળ છૂટો થઈ નીચે પડી ગયા. તે ધારસીભાઈ એ હાથમાં લીધો અને તેમાંનું લખાણ વાંચ્યું. તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. તેમને કૃપાળુદેવ પ્રત્યે બહુમાન ઊપજયું અને તેમના પટાવાળાને કહ્યું : “ જલદી રાયચંદભાઈને બોલાવી લાવ.” તે બોલાવવા જાય છે ત્યાં રસ્તામાં જ કૃપાળુદેવ મળ્યા. તેઓશ્રી તો ગંભીરતાથી ચાલ્યા આવતા હતા. ઘરમાં પ્રવેશ કરતાં જ ધારસીભાઈ એ કૃપાળુદેવને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. કૃપાળુદેવે તેમને ઊઠાડયા અને કોમળ વાણીમાં કહ્યું, ‘ધારસીભાઈ ! અનાદિકાળથી ‘હું જાણું છું', હું સમજુ છું: ” એ અભિમાન અને સ્વચ્છેદથી જ જીવે પરિભ્રમણ
- ત્યાર બાદ ધારસીભાઈ એ પોતાની ગાદી ઉપર પ્રભુને બેસાડવા. બે હાથ જોડી ગદ્ગદ્ સ્વરે બોલ્યા, ‘ પ્રભુ ! મે' પામરે આપને ન ઓળખ્યા. મારે આંગણે આવેલા ક૯૫વૃક્ષની સેવા ન કરતાં આપની પાસે સેવા કરાવી, તે મારા અપરાધ ક્ષમા કરો અને આપની જ સેવામાં જીવન પર્યત આ દાસને રાખે.” એમ કહી શ્રીમુખે “ ગાંગેય અણગાર’ના ભાંગાનું રહસ્ય સમજાવવા વિનંતી