________________
શ્રી લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું :- ‘“હું કંઈ
સમજતો નથી.''
પ.કૃ.દેવ :- ‘‘અમારા ઉપર તમને આસ્થા
છે ?'’
શ્રી લક્ષ્મીચંદજી મુનિ :- ‘‘હા, અમને પૂર્ણ આસ્થા છે.’’
પ.કૃ.દેવ :- ‘‘અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલાં કરતાં તમારો વહેલો મોક્ષ થશે:
માટે તમને ચૌદ પૂર્વનો સાર કહીએ છીએ કે ‘‘વિકલ્પો ઊઠવા દેવા નહીં અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.’’