________________
શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ શ્રીમદ્ સદ્ગુરુવે નમોનમઃ
અહો ! અહો ! શ્રીસદ્ગુરુ કરૂણાસિંધુ અપાર ! આ પામર પર પ્રભુ ર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧ શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન. ૨ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૩ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૪ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૬ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. ૭
૪.''
.''