________________
પ્રતિજ્ઞા
“સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.”
સહજાત્મસ્વરૂપ પરમગુરૂ”
“જિણાણાય કુણંતાણં સલૅપિ મોકખકારણે
સુંદરંપિ સબુદ્ધિએ સવ્વ ભવણિબંધણ” જીનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ કલ્પનાએ જે જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે.
મહાદિવ્યાકુ ક્ષિરત્ન શબ્દજિતરવાત્મજં, રાજ્યચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકં. આત્મા છે. પ્રગટ પુરુષોત્તમ પુરુષને નમસ્કાર નમસ્કાર.
પરમ પુરુષ પ્રભુ સદ્ગ, પરમજ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
૧. જા, બધું કહી દીધું. તે માની લે. બીજું કંઈ છે નહીં. આ વાત જ્ઞાનીની છે, આત્માની છે. હવે તે રજીસ્ટર થઈ ગયું. (એટલે આ વાત જે સાંભળી છે તે સાચી છે, રામબાણ છે, અનુભવની છે, તેમાં શંકા લાવવા જેવું નથી.) તું તેણે કહ્યું તેવો છે. બીજુ બધું માયા છે.