________________
(૩૪૨)
ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
૮૧.
જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. .૮૨. કૃતઘ્નતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી.
૮૮.
૧
૨
૩
૪
૯૦.
૯૪. અભિનિવેશ જેવું એક્કે પાખંડ નથી.
૯૫. આ કાળમાં આટલું વધ્યું-ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ.
૧૨૪. આત્મા જેવો કોઈ દેવ નથી.
૫
માઠી ગતિના લક્ષણો-અહંપદ, કૃતઘ્નતા, ઉત્સૂત્રપ્રરૂપણા, અવિવેક
ધર્મ.
の
મિથ્યાત્વ લક્ષણ-દેહ અને દેહાર્થ મમત્વ.
પત્ર ૨૫
પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.
જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો.
ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો.
કારતક, ૧૯૪૩
અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. નવાં કર્મ બાંધવા નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે.
જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી જોઈતી નથી.
८ મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ’ વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો ‘ધર્મકથાનુયોગ’ વિચારવો યોગ્ય છે; જડ થઈ