________________
(૩૧૯)
માટે વિલંબ નથી. સર્વ જગતથી પ્રેમ ઉતારી પ્રેમ એક બોધમૂર્તિ, સમ્યક્ બોધ સ્વરૂપ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ થશે ત્યારે જ સર્વ જગત તુચ્છવત્ ભાસશે અથવા સ્વપ્નવત્ ભાસશે. ભ્રાંતિથી આ જગતના પદાર્થો કે જગતના ભાવો ઉપર પ્રીતિ થઈ છે તે પ્રીતિનો નાશ થવાનો સાચો ઉપાય સભ્યશ્બોધ, ભ્રાંતિનું જવું કે સમ્યક્ત્તું થવું કે આત્મ અનુભવ જાગવો કે પોતાનું અનાદિ જ્ઞાનસ્વરૂપ પ્રગટ થવું થાય છે. ત્યારે જ પરમાનંદ પ્રગટ થાય છે. આ પરમાનંદનો મુખ્ય ઉપાય ભાવ યો છે. તે ભાવ ઉપશમ ક્ષાયક પરિણામિક ક્ષયોપશમિક આદિ જે ભાવમાં આત્મા જ્ઞાન, દર્શન, ઉપયોગ સ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર થાય, આત્મા જ સર્વત્ર ભાસે, કેવળ એક આત્મા જ, નિર્વિકલ્પ આત્મા જ, સહજ સ્વરૂપ આત્મા જ, આત્મભાવમાં રમણ કરે ત્યારે તેને કંઈ કરવાનું રહેતું નથી. આમ છે છતાં પરમાર્થની પ્રેરણા કરે એવા વ્યવહારની પણ જરૂર છે. તે વ્યવહાર દયા, શાંતિ, ક્ષમા, સમતા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, સત્સંગ, સત્શાસ્ત્રનું શ્રવણ, મનન, નિદિધ્યાસન આદિ વ્યવહારની પણ આવશ્યકતા છે. જે વ્યવહાર પરમાર્થને પમાડે છે. પરમાર્થ એટલે અહીંયાં આત્મસ્વરૂપ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક્ચરિત્ર સ્વરૂપ એવું અભેદ કેવળ અસંગ સ્વરૂપે આત્માનું પરિણમવું તે પરમાર્થ છે અને એવો પરમાર્થી જીવ જ ગાથામાં કહેલા પાછલા બે પદોનો અર્થ સમ્યક્ત્વની નિર્મળતા, દોષરહિત શુદ્ધ સમકીત પ્રગટ કરી, વિષય અને કષાયોનો ત્યાગ કરી, શુદ્ધ આત્મસ્વરૂપમાં પરિણામ કરશે, તે અલ્પ સંસારી કે પરિત સંસારી થશે. એવો જીવ જ હળુકર્મી ગણાય કે ભવ્ય ગણાય. તે ભવ્ય જીવ મિથ્યાત્વ રહિત થઈ, ક્લેશરહિત થઈ, શુદ્ધ સમકીત પામે છે. તે ભવ્ય આત્મા જીવ અજીવનું સ્વરૂપ જેવું સર્વજ્ઞે જોયું છે તેવા સ્વરૂપનો અનુભવ કરી તેની સમ્યક્ત્રકારે શ્રદ્ધા કરે છે અને તેને જ તે જિનશાસનનું રહસ્ય સમજાય છે. તે જીવ અજીવના સ્વરૂપને સમજે છે. તે જીવ અજીવમાં નવ તત્ત્વનું સ્વરૂપ સમાવેશ પામે છે અને તે તેને એટલે નવ તત્ત્વ, છ દ્રવ્ય કે દ્રવ્યાનુયોગ, કરણાનુંયોગ ને ચરણાનુંયોગ-પ્રથમાનુંયોગ આદિ સર્વે જિનશાસનનું રહસ્ય સદ્ગુરુ પાસેથી તે સદ્ગુરુની કૃપાવડીએ તેનું રહસ્ય પામી મુક્ત થાય છે. તે મોક્ષમાર્ગ રત્નત્રયની અભેદતાએ પ્રાપ્ત થાય