________________
I
w*
(૩૫) થવાના નથી. જ્યાં સુધી મૂળ ઊભા છે ત્યાં સુધી નિમિત્ત પામી ઊગે છે અર્થાત્ ઊભા થાય છે. એટલે જિનદેવ વીતરાગોએ સર્વે દુઃખ અને સુખ, બંધ અને મોક્ષ આદિ સર્વે ભાવોનું કારણ એક ભાવ જ છે. એ ભાવ સર્વજ્ઞ દેવે ત્રણ પ્રકારના કહ્યાં છે. શુભ, અશુભ અને શુદ્ધ. અશુદ્ધ ભાવનું વર્ણન થઈ ગયું. અર્થાત્ આત્માના પરિણામ આર્તધ્યાન રૌદ્રધ્યાન વર્તે તે સર્વે અશુભ ભાવ છે. શુભ ભાવ સમ્યફ થયા પછી ગણવા યોગ્ય છે. મિથ્યાત્વપણામાં શુભ જોગ હોય પણ શુભભાવ ન હોય કારણકે તેને શુભ ભાવનું તો ભાન જ નથી. શુભ ભાવ ધર્મધ્યાનમાં, સદગુરુએ કરેલી આજ્ઞામાં પ્રવર્તવાથી થાય છે એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થઈ આત્માને છૂટવાની સાચી જિજ્ઞાસા થાય છે તેથી સદગુરુએ બતાવેલા માર્ગમાં તે પ્રવર્તે છે. તેને માનાદિકની મિઠાશ આત્મામાંથી ગઈ છે. મિઠાશ કે રુચિ માનાદિકની રહી નથી. ગર્વ ધનાદિકનો કે માનપૂજા તેને ઝેર, ઝેર ને ઝેર સમજાય છે. કોઈ માનાદિક આપે તેને કલંકરૂપ સમજે છે. તે બધા ગુણો ક્યારે પ્રગટ થાય છે કે આત્મામાં સમ્યફબોધ પ્રાપ્ત થાય ત્યારે. એને વિવેક થાય છે અને તે આત્મા સદ્દગુરુએ બતાવેલા બોધ પ્રમાણે તેના આત્માના ભાવો પ્રણમે છે. સર્વ જિનશાસનનો આધાર એક ભાવ ઉપર રહ્યો છે. ભાવથી જ મુનિપણું કહેવાય છે. અને ભાવથી જ શ્રાવકપણું કે સંસારીપણું કહેવાય છે. દ્રવ્ય વેષની અહીં મહત્તા નથી. ભાવ વિનાનો જે વેષ તે તો નાટકીયાના જેવો લજામણો છે. જે ભાવ આત્માના શુદ્ધ જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી, શુદ્ધભાવ, શુદ્ધોપયોગ તેજ ઉપાદેય છે, કે જે ભાવો મોહભાવથી રહિત છે. આત્માના પરિણામ મોહભાવમાં ક્ષોભ પામી વર્તતા હોય ત્યારે બહાર ક્રિયા, વ્રત આદિ, નિયમ આદિ, શરીર આશ્રિત કે મન આશ્રિત કે વચન આશ્રિત ત્રણ જોગ આશ્રિત, કે દ્રવ્ય પ્રાણ આશ્રિત જે જે ક્રિયાઓ છે તે તે ક્રિયાઓ સર્વે શુભાશુભ બંધ પાડનારી છે. પણ બંધથી અટકી સંવર નિર્જરા કે મોક્ષ કરનારી નથી. એટલે તે સંસારક્રિયા છે એમ આત્મ-અનુભવી પુરુષો જાણે છે. અને આત્મ-અનુભવી પુરુષોને સંસાર એટલે સર્વ સંજોગી ભાવો તેને તો તે કાલકુટ ઝેર,ઝેર સમાન દુઃખરૂપ જાણે છે. તે સર્વ સંજોગી ભાવો રાગદ્વેષ ને મોહના ઉદયવાળા હોવાથી આત્માની ઘાતક સાતમી નરકની
+ કાર
8 + +
ના ર =
. *
++
+
ri
t
A
કથા
ક
- -