________________
(૩૨)
*
જન્મ
* * * * *
*
ગહન વાત - સિદ્ધાંતનો સાર પોતાની સમજણ મૂકી જ્ઞાનની સમજણ લેવી
તા. ૨૧-૧-૩૪ ચુ. આજે મુનિ તી. ને મળવા જવાના છે. તેમને જે બધું કહેવાનું છે, તેની શ્રીએ આજ્ઞા કરી છે.
મુનિ તી. ને મનમાં દઢ થયું છે કે શ્રી જ્ઞાની છે પણ સાથોસાથ બીજાને માટે પણ તેવી માન્યતા છે. (એક યોગી પાસે તેઓ યોગ શીખતા. તેને માટે તેવું હતું તેવું લાગે છે.)
તેમને એટલું જ સમજવાનું છે કે આ કાળમાં બીજાથી કલ્યાણ થાય તેમ નથી. પત્ર ૩૯૮ વંચાયો.
પછી બે લીટીનો પત્ર (પત્ર ૫૪૩) વંચાયો :- “તાદાભ્યપણું, મટે મોક્ષ જ છે.” શ્રીએ બધાને પૂછ્યું તે કેમ મટે ?
- પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો માર્ગ છે. તે એક જ છે. તે પ્રત્યક્ષ ન હોય ત્યાં સુધી પરોક્ષપણે શ્રદ્ધા કરી આરાધવાનો છે. શ્રીજીનો આશય લેવો જોઈએ.
પછી શ્રીએ કહ્યું:- અમે આ બહુ ગહન વાત કહીએ છીએ. સિદ્ધાંતનો સાર છે.
જ્ઞાન થયું હોય પછી પ્રમાદને કારણે અટકવું થાય. જેમ કોઈ મુનિ નંદીનો દાખલો આપ્યો.
પણ તેના (શ્રીજીના) વચન ઉપર કોઈ પ્રતીતિ કરે તો, અગર તો તેની શ્રદ્ધા, આશ્રય કરે તો જરૂર કલ્યાણ થાય. કારણ કે તેની પાસે જે છે તે સજીવન
* * *'
""":
trTERT
ધામ તાજ મ FEET
* *
જેમ માટીનો, ત્રાંબાનો, પિત્તળનો ઘડો હોય પણ તેમાં મીઠી વેલડીનું પાણી હોય તો તરસ છીપે. અને બીજો ઘડો હોય તેનો બાહ્ય આડંબર ઘણો હોય પણ અંદર ખારું પાણી હોય તો તરસ છીપે નહીં તે પછી ભલે ગમે તેટલી ક્રિયા કરતો હોય.
જેનાથી અગ્નિ પ્રગટ થાય છે તેવો ફોસ્ફરસ દીવાસળી ઉપર ન હોય તો) પણ અગ્નિ નથી તેથી દીવાસળી સળગે નહીં અને બીજી તો સજીવન