SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૪) છે. જો કે “કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે.” એવાં વચન સદ્દગુરુએ જણાવેલ છે. માટે આપણે તો હવે જ્યાં ત્યાં સ્પર્શનાકાળ વ્યતીત કરવો ઘટે છે. શાતા અશાતા તે તો પૂર્વના ઉદય જેમ સર્જિત માંડ્યું હશે તેવું થશે. આપને કંઈ પણ કહેવા જેવું નથી. આપે દેવાધિદેવ કૃપાળુદેવની સેવા બજાવી છે તે માટે ધન્યવાદ આપી કૃતકૃત્ય જાણી નમસ્કાર છે. એ જ, બાકી તો જગતના જીવોની વર્તના ઉપર દષ્ટિ નહિ નાખતા, પોતાનું કરી. ચાલ્યા જવા જેવું છે. શાતા અશાતા પૂર્વના સંચિત સર્જિત પ્રમાણે જીવને ભોગવવું થાય છે. તેમાં કોઈ આઘું પાછું કરી શકવા સમર્થ નથી. અને જેવાં સંજોગ સામગ્રી બાંધી હશે તેવું જીવને મળી આવશે, તે નિઃસંશય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. જીવને સહન કરવું એ જ ધર્મ છે. T
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy