________________
(૨૯૪)
છે. જો કે “કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે.” એવાં વચન સદ્દગુરુએ જણાવેલ છે. માટે આપણે તો હવે જ્યાં ત્યાં સ્પર્શનાકાળ વ્યતીત કરવો ઘટે છે.
શાતા અશાતા તે તો પૂર્વના ઉદય જેમ સર્જિત માંડ્યું હશે તેવું થશે. આપને કંઈ પણ કહેવા જેવું નથી. આપે દેવાધિદેવ કૃપાળુદેવની સેવા બજાવી છે તે માટે ધન્યવાદ આપી કૃતકૃત્ય જાણી નમસ્કાર છે. એ જ, બાકી તો જગતના જીવોની વર્તના ઉપર દષ્ટિ નહિ નાખતા, પોતાનું કરી. ચાલ્યા જવા જેવું છે. શાતા અશાતા પૂર્વના સંચિત સર્જિત પ્રમાણે જીવને ભોગવવું થાય છે. તેમાં કોઈ આઘું પાછું કરી શકવા સમર્થ નથી. અને જેવાં સંજોગ સામગ્રી બાંધી હશે તેવું જીવને મળી આવશે, તે નિઃસંશય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. જીવને સહન કરવું એ જ ધર્મ છે.
T