________________
છે.
અનુષ્ટુપ :
(૨૫૪)
ચાર અંગોય દુષ્પ્રાપ્ય, જીવોને જગમાં બહુ; મનુષ્યત્વ, શ્રુતિ, સંયમ, વીર્ય જાગવું.
અર્થ :- આ સંસારમાં પ્રાણીને ધર્મના ચાર પ્રધાન અંગો, કારણો દુર્લભ
(૧) માનવપણું.
(૨) ધર્મનું શ્રવણ (શ્રુતિ)
(૩) શ્રદ્ધા (સમ્યક્દર્શન)
(૪) સંયમ (સર્વ ભાવથી વિરામ પામવાપ)માં વીર્ય ફોરવવું. આ ચાર અંગો ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણો છે.
ઈક્કોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વન્દ્વમાણસ્સ સંસાર સાગરાઓ, તારેઈ નાં વા નારીં વા.
“જે કોઈ વ્યક્તિ, પછી તે પુરુષ યા સ્ત્રી હોય, ભગવાન મહાવીરને એક વાર પણ ભાવપૂર્વક નમસ્કાર કરે છે તે સંસારરૂપી અપાર સમુદ્રને તરી જઈ પરમ પદ પામે છે.’’