________________
(૨૩૩)
તારાં દર્શન હે ! જિનરાય રે, ચર્મચક્ષુથી પણ જો થાય રે; તો તે પુણ્યે નયન દિવ્ય પામે રે,કેવળજ્ઞાન ને દર્શન નામે રે
તારાં દર્શનથી જિનરાય રે, ભવસાગરે ડૂબકાં ખાય રે, તારાં દર્શનથી જિનરાય રે, નિશ્ચય દષ્ટિથી જે કંઈ થાય રે; સ્વાનુભવમાં આવે, ન કહાય રે, વચનાતીત કેમ વદાય રે ? તારાં દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શન શુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે. તારાં દર્શનથી જિનરાજ રે, થાય દષ્ટિ નિર્મળ સુખસાજ રે; પછી સૂરજનું શું કામ રે, અતિ પ્રતાપી આતમરામ રે તારાં દર્શન તો જનરૂપ રે, કેવળજ્ઞાન નિર્દોષ સ્વરૂપ રે; વીર વગર દૃષ્ટિ ક્યાં માણે રે, નભે તો દોષાકર જડ જાણે રે. તારાં દર્શનથી જિનરાય રે, નિસ્તેજ જેવાં આ જણાય રે; ચિંતામણિ, સુરતરૂ, કામધેનુ રે, તડકે આગીઆ-તેજ શાનું રે તારાં દર્શનથી જિનરાય રે, મનમાં પ્રેમરસ ઉભરાય રે; અદંરથી એ બાહેર આવે રે, આનંદ અશ્રુરૂપે સુહાવે રે. તારાં દર્શનથી જિનરાય રે, કલ્યાણ પરંપરા ધાય રે; વગર તેડે એ આગળ હાલે રે, ચંદ્ર પહેલાં કિરણ જેમ ચાલે રે. તારાં દર્શનથી જિનરાય રે, દશ દિશાવેલી ફ્ળી આજ રે; ફૂલ્યા વિનાય ઈષ્ટ અપાય રે, રત્નવૃષ્ટિ આકાશથી થાય રે. તારાં દર્શનથી જિનરાય રે;મોહ-નિદ્રાને ભય દૂર થાય રે; જેમ કુમુદ ચાંદની માંય રે, સરોવરમાં પ્રફુલ્લિત હોય રે.
કૃતકૃત્યતા જો ન મનાય રે; બહુકાળ એણો એળે જાય રે.
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭