________________
(૨૨૮).
અભુત મહાયોગીન્દ્ર, શાશ્વત મુક્તિમાર્ગ પ્રકાશતા, સિદ્ધાંતજ્ઞાન રહસ્ય ખોલી મોક્ષદ્વાર ઉઘાડતા; સહજત્મદર્શન જ્ઞાન અનુભવ, રત્નત્રય ઝલકાવતા, તેમાં રુચિ જે જે કરે, તે સર્વને ઉદ્ધારતા. એ જ્ઞાની સદ્ગુરુ રાજના, સહાત્મ જ્ઞાન પ્રકાશમાં, ભાસે યથાર્થ સ્વરૂપ મારું, તેમ સર્વ તણું યથા; તેવો જ આત્મા શુદ્ધ મારો, સિદ્ધ સમ મુજ પદ ખરું, તેને જ માનું, પર તજું, તો શીધ્ર સિદ્ધિ-સુખ વ. જે જ્ઞાનીએ કહ્યું માનવા, તેથી બીજું માની અહા ! પીધું હલાહલ વિષ મેં, ભવ ભ્રમણ તો તેથી રહ્યાં; એ માન્યતા મિથ્યા અનાદિની હવે તો ટાળવા, કટિબદ્ધ થઈ જાગૃત થા, હે !જીવ, સ્વરૂપ નિહાળવા. આત્મા ન જાણ્યો મેં છતાં, જાણ્યો કૃપાળુ જ્ઞાનીએ, તેવો જ આ મુજ આતમા શ્રદ્ધા અચળ એ આણીએ; તે સ્વરૂપ પ્રાપ્તિ કારણે, ગુરુરાજ શરણ સ્વીકારીએ, આરાધી આજ્ઞા એક-નિષ્ઠાથી સ્વસિદ્ધિ સાધીએ ગગનાંગણે' દિનમણિ પ્રકાશ, દિવસ લોકો તે કહે, પણ જ્ઞાની તેને રાત્રિ કહે, તો તેમ કેવલ સદહે; નિજકલ્પના કે નિજ મતિ અવગણી,અપરાધણ ગણી, જે એક-નિષ્ઠા અપૂર્વ શ્રદ્ધા દઢ ધરે જ્ઞાની તણી. એવા રૂડા જીવો કૃપાળુ સમીપમાં દીઠા ખરે, શ્રદ્ધા અનન્ય અપૂર્વ એવી જે કરે તે ભવ તરે; “આ જ્ઞાની,” કે “તે જ્ઞાની,” એવી કલ્પના કરવા જશો, તો અલ્પ મતિજ્ઞાને હલાહલ ઝેર પી માર્યા જશો.
- ૧૦
૧૧
૧ આકાશરૂપી આંગણમાં ૨ સૂર્ય
RT FILM