________________
# Parents
- * * *
૧ *
૨
(૨૧૩)
આત્માનુશાસ્તિ વૈરાગ્યે ભરપૂર ગુરુ રાજચંદ્ર ભગવંત; સમકિત રત્ન દીનનાં, ટાળો દુ:ખ અનંત. સંસ્કૃત કે ગુજરાતી નહીં, હિતનું કારણ કોય; પરમ રહસ્ય તે જે વડે, સંવેગ વિરાગજ હોય. આકુળ વ્યાકુળ જગ બધું, બાહ્ય ભમે અહો ! નિત્ય; શું દેખીને દોડતું ? એ મૂઢતા ધિક્ ધિફ. આમ ઘટે નહિ નાચવું, લહી જિનશાસન યોગ; બની પ્રસાદી રૂદન પણ, પુનઃ પુનઃ નહિ યોગ્ય. ઉષા વીતી, સંધ્યા સુધી, ટકવાનો નહિ ખ્યાલ; ગજનિમિલિકા શું કરે ? આત્મહિત સંભાળ. એમ જ પરભવને ભૂલી, અતિ કરતાં આકંદ; મૂઢ પ્રમાદી કૂટશે, મસ્તક તુજ શત ખંડ. ક્રોધ કીધો નથી કોઈ પર, ઠપકો આ મુજ કાજ; બોલું તેય ન જાણું હું, સમજાવું સમાજ ? વાણીમાં વૈરાગ્ય પણ, મન નહિ જો પલટાય; દયામણા આ જીવની, કહો વલે શી થાય ? ક્યાં જઉં ?—કયાં રહું ? શું શુણું ? કેવાં કરૂં કૃત્ય ? ભવ ભયથી ભડકી રહ્યું, વ્યાકુળ મુજ મન નિત્ય. ધ્યાન કરી શું બોલવું ? કે શું રહેવું મૌન ? ભયભીત પણ નિર્ભય અહો, મુજ નટવિદ્યા ગૌણ. નિષ્ફળ ખેદ તજી કરો, સન્દર્ભે પુરુષાર્થ, નહિ છૂટશો પ્રારબ્ધથી, જે ન સમજ્યો આત્માર્થ.
૫
૮
૯
૧૦
૧૧