________________
ET
(૨૧૨)
ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘરે; રત્નત્રય ઔષધ કરી, તમો તાર્યા ભવિજન ઓઘરે. (શ્રી દેવચંદ્રજી ગત ચોવીસી ૧૦ શ્રી વિશાલજીન સ્તવન)
દુ:ખ દોહગ દૂરે ટલ્યાંરે સુખ, સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર પેટ. (શ્રી આનંદઘનજી કૃત ૧૩ શ્રી વિમલજીન સ્તવન)
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. (શ્રી આનંદઘનજી કૃત-૧૫ શ્રી ધર્મનાથસ્વામી સ્તવન)
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. (શ્રી આનંદઘનજી-૧૯ શ્રી મલ્લિનાથ સ્વામી સ્તવન)
વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણીરે કે; કર્મ કરે શું જોર, પ્રસન્ન જે જગધણીરે કે. (શ્રી યશોવિજ્યજી બીજી ચોવીસી ૧૫ શ્રી ધર્મનાથજિન સ્તવન)
પંચમ આરે રે તુમ્હ મેલાવડે
રૂડો રાખ્યો રે રંગ, (વાલ્વેસર) ચોથો આરો રે ફિરી આવ્યો ગણું,
વાચક યશ કહે ચંગ. (વા. મલ્લિ:) (શ્રી યશોવિજયજી-બીજી ચોવીસી ૧૯ શ્રી મલ્લિનાથસ્વામી સ્તવન)