________________
(૪) આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કકડાશ સહન કરી શકે તેમ
નથી; તેથી લઘુતા ધારી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.
મુમુક્ષુઓને ભલામણ બીજા મુમુક્ષુઓને પણ શ્રીનો સમાગમ બે બે માસે કરવા ભલામણ શ્રીજીએ કરી હતી. આ આજ્ઞા પ્રમાણે જ શ્રી વિચરતા હતા. કોઈ પરિચયમાં આવે તેને “શ્રી કલ્યાણમૂર્તિ છે તેવો ભાસ થતો પણ કોઈ જીવ પૂર્વના સંસ્કારને લીધે તેમના પરિચયમાં આવતા ત્યારે “શ્રી પોતે પૂર્ણ વીતરાગ છે-સાક્ષાત્ ભગવાન સ્વરૂપ છે એમ ઓળખી જતાં. પણ સ્વચ્છેદે કંઈ પણ માની લેવામાં કલ્યાણ નથી પણ શ્રીનું કહેવું માનવામાં જ કલ્યાણ છે એવો દઢ નિશ્ચય રહેતો હોવાથી શ્રીની આજ્ઞાનુસાર શ્રીજીની શ્રદ્ધા રાખી શ્રીજીની આજ્ઞા માન્ય રાખી પરમાર્થ માર્ગે વીતરાગની ઉપાસના કરતા હતા.
શ્રીજીને કોઈ મુમુક્ષુ પૂછતાકે તેમની ગેરહાજરીમાં તેમને કોનું અવલંબન લેવું? ત્યારે શ્રીજી, શ્રી તથા મુનિ દેવકરણજીના નામ જણાવી જણાવતા કે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી ચોથા આરાના મુનિ સમાન છે અને મુમુક્ષુ વર્ગને તેમનો સમાગમ બે બે મહિને કરવા ભલામણ કરેલી. શ્રીજીના નિર્વાણ પછી આજ્ઞાનું માહાભ્ય રહ્યું નહિ અને ફરી અંધકાર વ્યાપ્યા જેવું થયું.
શ્રીને વીતરાગ માર્ગ પ્રગટ કરવાનું નિમિત્ત શ્રીજીના નિર્વાણ પછી શ્રી વીતરાગભાવે વિચરતા હતા. કાળના પ્રભાવ પ્રમાણે દરેક જ્ઞાનીને પરિસહ અને ઉપસર્ગો આવે છે. તેવા પ્રસંગો શ્રી વીતરાગભાવે સહન કરી રહ્યા હતા. શ્રી રણછોડભાઈએ તેમના પૂર્વના સંસ્કારને લીધે શ્રીના દર્શન થતાંની સાથે શ્રી પાસે મોક્ષની માગણી કરી અને શ્રીએ તેમને ખાત્રી કરાવી કે તેઓ મોક્ષ આપી શકે છે. શ્રી રણછોડભાઈને ખાત્રી થઈ હતી કે તેમને મોક્ષદાતા મળી ગયા છે. તેથી વીતરાગ માર્ગ પ્રગટ કરવાની જૂનાગઢ્યાં ૧. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે.