________________
(૧૨૭)
ધન્ય.
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
ધન્ય.૮
વવા. ફા. વદ ૧૨, ૧૯૫૩
“આ જેવી તેવી ચેતવણી નથી.” આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી – મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે.”
“પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાન આત્મા સપુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.”
(‘પરમાત્મપ્રકાશ' જેવા પુસ્તક) આવાં પુસ્તક વાંચતા જીવ ક્યાંની ક્યાં ભૂલ કરે છે – નહીં માની બેસવાનું માની–અર્થ કરે છે. સમજ્યો ન હોય તે સમજ્યો છે એવું બોલતાં શીખી જાય છે-માટે
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય. મુનિ દેવકરણજી આત્મા સંબંધી વાત કરવા ગયાં ત્યારે શ્રીજીએ કહેવડાવેલું કે:-સર્વજીવ સિદ્ધ સમ છે- નિગોદમાં રહેલો જીવ પણ સિદ્ધ સમ છે તો પછી દેવકરણજીનો જીવ કેમ ન હોય ? શક્તિપણે સર્વ જીવ સરખા છે