________________
:
કે
-
(૧૧૫)
(૯)
-
૧
બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરો) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ, એક વિષયને જીતતાં, છત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર.
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.
સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવાશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.
વિ.સં. ૧૯૪૧