________________
(૧૧૪)
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ;
ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ.
તત્ત્વરૂપથી
એ ઓળખે,
તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ
સિદ્ધ.
(૮)
શ્રી શાંતિનાથ ભગવાન
સ્તુતિ
ધ્યાને,
પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિરનામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
૬
૭
વિ.સં.૧૯૪૧.
.........અપૂર્ણ)