________________
(૧૦૯)
(૫)
કાળ કોઈને નહીં મૂકે (હરિગીત)
મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.
ઝળકતી; જોઈને
મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા. પળમાં પડયા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.
દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિતમાણિકયથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી, એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.
૧
૨
૩
મૂછ વાંકડી કરી ફ્રાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪
છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને, ૫