________________
(૧૦૩)
ઉદય જોઈ ઉદાસપણું ભજશો નહીં
ઉદય-વર્તમાનકાળમાં જે વેદનપણું વેદાતું હોય તે. (જે કર્મ પૂર્વે બાંધેલ છે ને જે કર્મો ભોગવાય છે તે.) તે પૂર્વે બાંધેલ કર્મ વર્તમાનકાળે ભોગવાય છે. ઉદયને સમભાવે તથા શાંતિથી ભોગવી લે અને નવાં કર્મ ન બંધાય તેમ ધ્યાન રાખ
એટલે પૂર્વે બંધાયેલા કર્મ ભોગવાઈ પૂરાં
થયે કર્મથી છૂટો થશે; અને કર્મથી છૂટાય એટલે મુક્તિ જ છે. માટે ઉદય જોઈને ઉદાસપણું ભજવાનું નથી પણ ઉદાસીનતા ભજવાની છે એટલે સમભાવ અને શાંતિ ભજવાની છે.
-
*