________________
(૯૧)
અમૃતસાગર છૈયે.
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છૈયે. વધારે શું કહેવું ? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીરજ છૈયે, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા હૈયે.
આ અંતરઅનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુ:ખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
સંવત્ ૧૯૫૨ના ચૈત્ર સુદ ૧૩ રવી. મુંબઈ
卐
ૐ શ્રી મહાવીર
(અંગત)