SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાર્દિક માંહિ. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાંહિ; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? કેવલ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિં અભિમાન. સંતચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક, પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? પ્રભુ પ્રભુ લય લાગી નહીં,પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ? અધમાધમ અધિકો પતિત, એ નિશ્ચય આવ્યા વિના, સકળ જગતમાં હુંય; સાધન કરશે શુંય ? પડી પડી તુજ પદ પંકજે, ફરિ ફરિ માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરિ દેજ. ||૧૦|| ||૧૧|| ।।૧૨।। 119311 ||૧૪|| 119411 119811 119911 ||૧૮|| ॥૧૯॥ 112011 PRAKRAN -
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy