SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) મહામંત્ર શ્રી સદ્દગુરૂભક્તિરહસ્ય પ્રભુ પ્રત્યે દીનત્વ દોહરા હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ‘હું પામર શું કરી શકું,' એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિંત્ય તુજ મહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચલરૂપ આશક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 11911 IIRII 11311 ||૪|| 11411 11511 11911 ||૮|| ||લા
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy