________________
કરવા .
સાકાર નતાશા
(૫૮)
સાધુને હંમેશાં સમતા હોય’ – આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બધે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું-આટલું સમજાય તો થઈ રહ્યું!
ભક્તામર’ વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે ?
ઉ.મૃ.પૃ.૧૮૭ આત્મા કરવા જ આવ્યો છે; પણ કર્મ, કર્મને કર્મ કરે છે તે બંધન છે. કૃપાળુદેવનાં વચન-વીસ દોહા અપૂર્વ છે ! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દૃષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણિ રત્ન તે કાંકરાની માફક જાણ્યું. આ વચન ! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે. અને ઉપયોગમાં રહે તો કર્મની કોડ ખપે છે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?'
આ સવાલ નીકળ્યો. તેમાં ઉપયોગ આવી જાય તો કોટિ કર્મ ખપી જાય. આ ભાવના, ઈચ્છા કરે તો બીજી માઠી ગતિનો નાશ થઈ દેવની ગતિ થાય. આવું છે; તે સામાન્યમાં અને લૌકિકમાં કાઢી નાખ્યું. આ સંભળાતું હશે?