________________
[૧૨]
અવ્યય-અક્ષય
તાશ ત થાય એ અક્ષય
પ્રશ્નકર્તા : આપણે આ વિધિમાં બોલીએ છીએને ‘હું અક્ષય છું’ તો અક્ષયનો એક્ઝેક્ટ મીનિંગ શું છે ?
દાદાશ્રી : અક્ષય એટલે જે નાશ નથી થનારા, અવિનાશી. ક્ષય થવું એટલે નાશ થવું અને અક્ષય એટલે અવિનાશી. આત્મા અક્ષય છે. ખર્ચાય નહીં, વધે-ઘટે તહીં એ અવ્યય
પ્રશ્નકર્તા : આત્મા અવ્યય છે કહ્યું તો અવ્યય એટલે શું ? દાદાશ્રી : વ્યય ના થાય તે.
પ્રશ્નકર્તા : વ્યય એટલે શું ? ડિસ્ટ્રૉઈ ના થાય ?
દાદાશ્રી : વ્યય એટલે ખર્ચો. એટલે ઓછું થાય એ વ્યય કહેવાય અને આ ક્યારેય ઓછું ને વધતું ન થાય, ઘટે નહીં એનું
નામ અવ્યય.
પ્રશ્નકર્તા : ઘટેય નહીં ને વધેય નહીં !
દાદાશ્રી : હા, અવ્યય એટલે જેને કશું ફેરફાર ના થાય, વ્યય ના થઈ જાય, નાશ ના થઈ જાય.