SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૨) સ્વપરિણતિ-૫૨પરિણતિ આ જે થઈ રહ્યું છે એને ‘હું કરું છું' એમ કહેવું એનું નામ પરપરિણતિ અને આ થઈ રહ્યું છે તે ‘હું નથી કરતો' એનું નામ નિજપરિણતિ. છેવટે સાવ સહેલું જ કરી આપ્યું છે ને ? ૨૦૫ પ્રશ્નકર્તા : સહેલું થઈ ગયું હવે. દાદાશ્રી : એની મેળે જ નિજપરિણતિ રહે પણ તે એને સમજણ પડે નહીં કે મને રહે છે. તે સમજણ ના પડે. પોતે પણ દવા પીવે એટલે મટી જ જાયને ! સમજ પડે કે ના પડે પણ દવા પીવે એટલે મટી જાય. (બાકી) કર્તાપદ છૂટે નહીં. કોઈ પણ એવી દવા નથી કે જેનાથી કર્તાપદ છૂટે. કર્તાપદને પરપરિણતિ કહેવાય છે અને જ્યાં ૫૨૫રિણતિ નથી ત્યાં નિજપરિણતિ છે. પાંચ આજ્ઞા-શુદ્ધ ઉપયોગ એ જ તિજપરિણતિ પ્રશ્નકર્તા : આપની પાંચ આજ્ઞામાંથી એક આજ્ઞામાં હોય તો નિજપરિણતિ કહેવાય કે નહીં ? દાદાશ્રી : હા, એ નિજપરિણતિ કહેવાય. અમારી આજ્ઞા નિજપરિણતિમાં રહેવા માટે જ છે, એમાં બીજી પરિણિત નથી. પરપરિણતિ ઉત્પન્ન થાય પણ એનો પોતે જ્ઞાતા રહે. એટલે પરઉપયોગમાં રહેતો નથી, સ્વઉપયોગમાં રહે. એટલે હવે ઉપયોગ જ શુદ્ધ રાખવાનો છે. આ સંસાર તેવો ને તેવો જ ચાલવા દેવાનો છે. પહેલા શુભાશુભ ઉપયોગ હતો. તપ કરું, જપ કરું, ફલાણું કરું, સ્વાધ્યાય કરું એ શુભાશુભ ઉપયોગ કહેવાય. એ ઉપયોગ તે દહાડે હતો અને તે અત્યારે શુદ્ધ ઉપયોગ રાખવાનો છે. તે એને ભૂલાય નહીં એનું નામ જાગૃતિ, જ્ઞાન કહેવાય. શુદ્ધ ઉપયોગ એ નિજપરિણતિ કહેવાય છે અને શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ કહેવાય. ૫૨પરિણતિથી સંસાર ભટકવાનું અને શુદ્ધ ઉપયોગથી અહીં ને અહીં જ મોક્ષ. (એનાથી) દેહમાં બેઠા નિર્વાણ છે. આ તમને તો ઉપયોગમાં સ્વઉપયોગ રહે. પરપરિણતિ તો ઉત્પન્ન
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy