SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કરે ? જો વિકલ્પ આવે તો એ જ્ઞાન ઊડી જાય. એ તો એ પ્રમાણે જ વર્તવું જોઈએ, જવું જ જોઈએ. એ તો કેવળ ભગવાનને ટકે આ જ્ઞાન. કેટલાક લોકો કહે કે આમ થશે, તો તેવું થઈ જાય. તે ત્રિકાળજ્ઞાન નથી, પણ અંતકરણની શુદ્ધિ અને યશનામ કર્મ હોય એનું, તેનાથી બની જાય. ત્રિકાળજ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાયમ જાણે અને હૃદય શુદ્ધિવાળો તો સાધારણ કહી જાય તે પ્રમાણે બની જાય. તીર્થંકરો કેવળજ્ઞાને કરીને બધું કહી શકે કે ભૂતકાળમાં આ પ્રમાણે હતું, વર્તમાનમાં આ પ્રમાણે છે અને ભવિષ્યકાળમાં આ પ્રમાણે થશે. પણ એ વર્તમાન જ જોતા હતા. દરેક વસ્તુના આગળ શું પર્યાય હતા, અત્યારે શું છે અને હવે પછી શું થશે, એમ ત્રણેવ કાળના પર્યાય બતાવે એ સર્વજ્ઞ કહેવાય. [9] કેવળદર્શત (૬.૧) કેવળદર્શનની સમજ કેવળ એટલે એબ્સોલ્યુટ, જેમાં કોઈ ભેળસેળ નહીં, યૉર. કેવળદર્શન એટલે કેવળ આત્માની જ જેને શ્રદ્ધા છે એ. આ જગત જેમ છે તેમ સમજમાં આવી જવું એ કેવળદર્શન અને જાણમાં આવી જાય એ કેવળજ્ઞાન. કેવળદર્શન એટલે લાયક સમકિત. એ થયા પછી કેવળજ્ઞાન થાય. સમ્યક્ દર્શન ક્યારે થાય ? આખા જગતમાં ક્યાંય કોઈ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે. સમજ મેળવવા માટે ટાઈમ ના જોઈએ પણ જ્ઞાનપણામાં ટાઈમ જોઈએ. તીર્થકર ભગવાનની અજાયબ શોધખોળ છે; દર્શન અને જ્ઞાન, જોવું અને જાણવું, બે જુદું પાડી દીધું. એની પાછળ આખું વિજ્ઞાન છે. 60
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy