________________
(૧.૩) જ્ઞાત પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
વ્યવહાર આત્મા કરે ચાર્જ, પ્રતિષ્ઠિત તે ડિસ્ચાર્જ
પ્રશ્નકર્તા દાદા, જ્ઞાન મળ્યા પછી આપણે આ પ્રતિષ્ઠિત આત્માને કઈ રીતે સમજવો ?
દાદાશ્રી : ખરેખર તો પ્રતિષ્ઠિત આત્મા તો જ્ઞાન મળ્યા પછી જે બાકી રહ્યું છે. પણ ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા ના કહેવાય, ત્યાં વ્યવહારિક આત્મા કહેવાય.
પ્રશ્નકર્તા ઃ અને અજ્ઞાનતામાં વ્યવહાર આત્મા ને પ્રતિષ્ઠિત આત્માને એક જ ગણાવ્યા આપે ? દાદાશ્રી : હા, અજ્ઞાનતામાં એકનો એક જ છે.
ભાવસતા તહીં, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતને પ્રશ્નકર્તા ઃ જે ચાર્જ કરનારું છે ભાવમન, એટલે પ્રતિષ્ઠિત આત્મા ?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા ખરેખર એ છે નહીં. પ્રતિષ્ઠિત આત્મા નવો ઉત્પન્ન થાય છે ભાવમનથી અને દ્રવ્યમન એ ખરેખર (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા છે. દ્રવ્યમન એટલે ડિસ્ચાર્જ મન અને ભાવમન એટલે ચાર્જ મન. હવે ચાર્જ, અહંકાર હોય તો થાયને ? આપણે અજ્ઞાન હોય તો ચાર્જ થાયને ? એટલે જગત આખાને, આ જ્ઞાન ના મળ્યું હોય તો એમને ભાવમન હોય, જે એમને ચાર્જ થયા જ કરવાનું. એ ગમે તેટલી માથાકૂટો કરે પણ ચાર્જ થાય જ. તમને હવે