________________
૨. જિનેશ્વરની વાણી (મનહર છંદ)
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નયક્ષિપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.
૧
ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મિટ મપાઇ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૨
-*-*
૩. પ્રાત:કાળની ભાવનાનાં પદો
તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય; ૧ આસ્ત્રવ ભાવ અભાવતેં, ભયે સ્વભાવ સ્વરૂપ, નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ; ૨
કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય, જ્ય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય; ૩ કર્મ શાંતિ કે અર્થી જિન, નમો શાંતિ કરતાર, પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર; ૪ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૫
-*-*
પ્રાર્થના પિયુષ * ૭