________________
ઘટી ગયેલી જોઈ, મનોમન વિચારધારા પલટાઈ જાય છે.
“શું આ શરીરની શોભા આભૂષણોથી જ છે? તે મને ખપતું નથી આભૂષણોની શોભાવાળું શરીર ! હવે તો ભરતચક્રીને આત્માની શોભાની ખેવના જાગી ગઈ. ત્યાં જ સર્વે આભૂષણો ઉતારવા લાગ્યા. વૈરાગ્યના શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવા લાગી. રાજ્યલક્ષ્મી, સ્ત્રી-પરિવાર, ભોગવિલાસ બધાનું મમત્વ મનથી જ ખંખેરી નાખ્યું અને મમત્વ કે મૂર્છારૂપ સઘળા પરિગ્રહને ત્યજી દઈ ભરત ચક્રી બન્યા કેવલી. સંયમશ્રેણીના પ્રથમ સ્થાનેથી આરંભાયેલી યાત્રા ચોટી સુધી પૂર્ણ થઇ ગઈ. ગૃહસ્થ-લિંગ ત્યાગી બની ગયા ભરત મુનિ.
પણ કેમ? આટલી લક્ષ્મી, સ્ત્રીઓના મોહ બધું જ કઈ રીતે છૂટી ગયું? એ પણ ગૃહસ્થપણામાં ? એ પણ શણગાર ખંડમાં ? એ પણ ચક્રવર્તીપણામાં ?
બસ, એક જ કારણ, “કારણ કે તે સાધુ હતા.”
પૂર્વના ભવમાં “મહીધર” નામક રાજકુમાર, રાજકુમાર અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારે પણ ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરેલી. પરંપરાએ “બાહુ” નામક મુનિ પણ બન્યા. આ ‘બાહુ મુનિના ભવમાં પણ 500 સાધુઓને વિશુદ્ધ
“કારણ કે તે સાધુ હતા”
[6]
મુનિશ્રી દીપરત્નસાગરજી