SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટી ગયેલી જોઈ, મનોમન વિચારધારા પલટાઈ જાય છે. “શું આ શરીરની શોભા આભૂષણોથી જ છે? તે મને ખપતું નથી આભૂષણોની શોભાવાળું શરીર ! હવે તો ભરતચક્રીને આત્માની શોભાની ખેવના જાગી ગઈ. ત્યાં જ સર્વે આભૂષણો ઉતારવા લાગ્યા. વૈરાગ્યના શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવા લાગી. રાજ્યલક્ષ્મી, સ્ત્રી-પરિવાર, ભોગવિલાસ બધાનું મમત્વ મનથી જ ખંખેરી નાખ્યું અને મમત્વ કે મૂર્છારૂપ સઘળા પરિગ્રહને ત્યજી દઈ ભરત ચક્રી બન્યા કેવલી. સંયમશ્રેણીના પ્રથમ સ્થાનેથી આરંભાયેલી યાત્રા ચોટી સુધી પૂર્ણ થઇ ગઈ. ગૃહસ્થ-લિંગ ત્યાગી બની ગયા ભરત મુનિ. પણ કેમ? આટલી લક્ષ્મી, સ્ત્રીઓના મોહ બધું જ કઈ રીતે છૂટી ગયું? એ પણ ગૃહસ્થપણામાં ? એ પણ શણગાર ખંડમાં ? એ પણ ચક્રવર્તીપણામાં ? બસ, એક જ કારણ, “કારણ કે તે સાધુ હતા.” પૂર્વના ભવમાં “મહીધર” નામક રાજકુમાર, રાજકુમાર અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારે પણ ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરેલી. પરંપરાએ “બાહુ” નામક મુનિ પણ બન્યા. આ ‘બાહુ મુનિના ભવમાં પણ 500 સાધુઓને વિશુદ્ધ “કારણ કે તે સાધુ હતા” [6] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy