________________
ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ ‘હું પણું’ કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું, એક માત્ર કર્તવ્ય હોવું જોઈએ.
- અશુચિ ભાવના- મને, મારાં શરીરને સુંદર બતાવવાનાં જે ભાવ છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે, તે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરુપ જ છે; એવું ચિંતવી પોતાનાં શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.
D - આસ્રવ ભાવના- પુણ્ય (શુભ) અને પાપ (અશુભ), એ બન્ને મારા (આત્મા) માટે આસ્રવ છે; તેથી વિવેકે કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એક માત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભભાવમાં રહેવું કર્તવ્ય છે.
ત્ત સંવર ભાવના- સાચા (કાર્યકારી) સંવરની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એક માત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો. ત્ત નિર્જરા ભાવના- સાચી (કાર્યકારી) નિર્જરાની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એક માત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.
બાર ભાવના × ૩૭