________________
બાર ભાવના
E - અનિત્ય ભાવના- સર્વે સંયોગો અનિત્ય છે, તે કોઈ જ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ ત્યાગવો-તેમાં ‘હું પણું’ અને મારાપણું ત્યાગવું.
જ્ઞ અશરણ ભાવના- મારા પાપોના ઉદયવેળાં મને માતાપિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણ થઈ શકે તેમ નથી, તેઓ મારું દુઃખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો-તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી.
સંસાર ભાવના- સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે? અર્થાત્ એક માત્ર લક્ષ સંસારથી છુટવાનું જ રહેવું જોઈએ.
D એકત્વ ભાવના- અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
. અન્યત્વ ભાવના- હું કોણ છું? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યાં અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ૩૬ * સુખી થવાની ચાવી