________________
શ્રી લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું - “કંઈ સમજતો નથી.”
પ.કૃ દેવ:- “અમારા ઉપર તમને આસ્થા છે ?"
શ્રી લક્ષ્મીચંદજી મુનિ :- “હા, અમને પૂર્ણ આસ્થા છે.”
પ.કૃ. દેવ :- “અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલાં કરતાં તમારો વહેલો મોક્ષ થશે;
માટે તમને ચૌદ પૂર્વનો સાર કહીએ છીએ કે “વિકલ્પો ઊઠવા દેવા નહીં અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.”