________________
ગુરુ પાસેથી ઊઠવું પડે, કોઈ શરીરના કે ધંધાના નિમિત્તે, તો....
‘હે પ્રભુ ! આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાઓ' એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઊઠવું તે આસિકા. ‘હે ભગવાન ! ન છૂટકે મારે પરાણે ઊઠવું પડે છે.' આસિકા કહેતાં ઊઠવું પડે છે, જવું પડે છે.પણ જે કામ માટે ઊઠે તે કામમાં... પાંચ ઇંદ્રિયો અને ચાર કષાય મળી એ નવને વશ ન થાય, તેમને રોકે, તથા ચિત્તનાં પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારના કામ ઉદાસીનભાવે કરી પાછો આવે અને કહે કે ‘હે ભગવાન ! હું પ્રવેશ કરું ?' એ નિષિદ્યકા.
શ્રી લઘુરાજ સ્વામી