________________
(૩૩૮)
ઉત્તમા સહજ અવસ્થા, મધ્યમા ધ્યાન ધારણા,
મુર્ખસ્ય પ્રતીમા પૂજા, તીર્થયાત્રા અધમાધમ.
(આ પત્તુ પ.પુ.પ્રભુશ્રીની આજ્ઞાથી રખાવેલું છે. ૪-૧૦-૨૩ સવારે)
એક ભાઈ ને શ્રીએ ઠપકો આપતા કહ્યું
‘‘આત્મા જોયો ?’’ પછી કહ્યું ‘“બધી ફરવાની જગ્યાએ કર્મ બંધન થાય છે.’’
અચલગઢ : માતાના મંદીરમાં ભક્તી થયેલી. ત્યા બહાર બેઠેલા. મંગલાચરણ બોલતા શ્રીએ ચીત્રપટ મંગાવ્યું. ઘણું નાનું હતું. જગ્યા ઉંચી નીચી હતી. ચોપડીઓ રાખી ચીત્રપટ મૂક્યું. પછી શ્રીએ ક્હયું ‘‘કરોડો રૂપીઆ ખર્ચીને મંદીર બંધાવ્યું હોય તે તો અભિમાન છે. આ ચીત્રપટની સ્થાપના છે તે મોક્ષનું કારણ છે. તમને કંઈ ખબર નથી.’’
નાસીક જતાં પહેલાં શ્રીએ કહેલું.
પ્ર : જ્ઞાનીની પરીક્ષા કેમ થાય ?
ઉ : વચન બોલે તે વચનના મૂળમાં કંઈ અહંમભાવ છે કે કેમ તો
સમજાય જાય.
જો કંઈક અહંભાવ હોય તો કંઈ નથી. અને અહંભાવ ન હોય તો કંઈ છે.
ન
૩.૮.૧૭ શ્રીએ રતીલાલને કહ્યું :
:
નીતીથી વર્તજે. હું અને તમે જુદા નથી. બન્નેના આત્મા એક જ છે - તે પ્રભુજીના વચનામૃત છે.