________________
(૨૦) (૮) અણુપેહા (અનુપ્રેક્ષા) એના ઈ. ચાર ભેદ છે. (1) અયાણુપેહા (એકત્યાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા એક
છે, નિત્ય છે. (૨) ણિયાણુપેહા (અનિત્યાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા
શિવાય બાકી અનિત્ય છે. (૩) અશરણાણુપેહા (અશરણાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા
શિવાય શરણગત રાખનાર કોઈ નથી. (૪) સંસારાણુપેહા (સંસારાનુપ્રેક્ષા)-કેતાં-આત્માનું
શરણ નહિ લેવાથી સંસારને વિષે પરિભ્રમણ કરવું
પડે છે. (૯) એટલું જ શોધાય તો બધું પામશો. ખચિત એમાં જ છે. મને કંઈક અનુભવ છે. સત્ય કહું છું, યથાર્થ કહું છું, નિઃશંક માનો. આ વચનામૃત છે જ (ગુ.આ. પર૮)
ગુ.આ.પત્ર. પર૮ સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ભેદ શો? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૧૦) મોટા ગ્રંથમાં શ્રીમદ્ પરમકૃપાળુદેવશ્રીનાં વચનામૃત છે તેમાં પાનું પ૬૫ “હાથ નોંધ પૃષ્ઠ ૬૦” પત્ર ૨૮ નો આંક વિચારશો.
(૨૦૭ ની આવૃત્તિ પાનું ૮૦૦ હાથનોંધ ૧. પૃ. ૬૦-પત્ર ૨૯ :) શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે
તા.
છે
કે
આ