________________
(૮૩)
સમાધાન
સદ્ગુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફ્ળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફ્ળતા, માટે મોક્ષ સુજાણ.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.
*
શંકા
શિષ્ય ઉવાચ
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ?
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ?
૮૯
૯૦
૯૧
૯૨
૯૩
૯૪
૯૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ, સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬