________________
મકાન
' (૮૨)
સમાધાન સદ્ગુરુ ઉવાચ
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, જીવ વીર્યની સ્કુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદી જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ, કહિ સંક્ષેપે સાવ. ૮૬
શંકા શિષ્ય ઉવાચ
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ, વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય, અશુભ કરે નર્યાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮