________________
સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ||૧ળી. તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નહિ. નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ. ||૧૧|| અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાંહિ; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ાા એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું ? ll૧૩ કેવલ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ll૧૪/l, અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિં અભિમાન. ૧૫ સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક, પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? I૧ળા પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય? I/૧૮ અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? I૧૯ll પડી પડી તુજ પદ પંકજે, ફરિ ફરિ માગું એજ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરિ દેજ. |રવા