SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) મહામંત્ર શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય પ્રભુ પ્રત્યે દીનત્વ દોહરા |૧|| |૩|| II૪II હે પ્રભુ! હે પ્રભુશું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. હું પામર શું કરી શકું,” એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચલરૂપ આશક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. //૫ll I૬ાા ||ળા /૮ III
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy