________________
(૬૦)
મહામંત્ર
શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય પ્રભુ પ્રત્યે દીનત્વ
દોહરા
|૧||
|૩||
II૪II
હે પ્રભુ! હે પ્રભુશું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. હું પામર શું કરી શકું,” એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચલરૂપ આશક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.
//૫ll
I૬ાા
||ળા
/૮
III