________________
૮ સામાયિક ભાવ
એ બ્રહ્મ, એ ચેતના, એ આત્મા, એ રૂહ, એ તત્ત્વ મારામાં, તમારામાં, બધામાં સરખું હોય, સમાન હોય, એમાં કાંઈ પણ ફરક ન હોય. આ સમ શબ્દનો ત્રીજો (equalityનો) અર્થ પણ બરાબર સમજી લેવો પડે.
હું દાખલો આપીને સમજાવું :
ધારો કે આ હોલમાં ૮૦૦ ખાલી ઘડા મૂક્યા છે. ઘડા નાનામોટા, જાડાપાતળા, ઊંચાનીચા, ધોળાકાળા – જાતજાતના રંગવાળા, ભાતભાતના આકારવાળા – આ બધા ઘડા ખાલી હોય તો પણ તેમાં આકાશ (અવકાશ space) તો છે જ. કોઈ પણ ઘડામાં શૂન્યાવકાશ (vacuum) નથી. જો આ બધા ઘડાને તોડીફોડી નાખીએ તો એમાંનું અલગ અલગ આકાશ એક થઈ જાય કે નહિ?
અને એ એક થઈ ગયેલા આકાશના ગુણધર્મ એક સરખા હોય કે જુદા જુદા?
અને એ તૂટેલા ઘડાઓનું એક થયેલું આકાશ, બહારના આકાશ સાથે પણ એક થઈ જાય કે નહિ?
ખરેખર સમજો તો બધા ઘડામાં એક જ આકાશ છે અને બધા ઘડા પણ એક જ આકાશમાં છે! એટલે અંદરનું અને બહારનું એ બધું આકાશ એક જ હોય, એના ગુણધર્મો દરેકમાં એક સરખા જ હોય. આકાશ અલગ ન હોય પણ દરેક ઘડો એમ સમજે કે ‘મારૂં આકાશ જુદું છે', અથવા માત્ર બહારથી ઘડાને જોનાર પણ એમ જ સમજે કે બધા ઘડાની અંદર જુદું જુદું આકાશ રહેલું છે, એટલે ઘડા પ્રમાણે એ આકાશના ગુણધર્મો પણ જુદા જુદા હશે!!
અથવા એ ૮૦૦ ઘડામાં પાણી ભરો તો એ પાણીથી ભરેલા ઘડા