________________
સામાયિક ભાવ ૬ ૨૩
અલગ સંપ્રદાયો, ફિરકાઓ અને ગચ્છો ચલાવવા માટે લિંગમાં, વેશમાં અને ક્રિયાઓમાં ફરક રાખવો પડે. “અમારું જુદું છે' એમ બીજાને બતાવવું પડે.
ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે : લિંગ વેશ કિરિયા કું સબ હિ, દેખે લોક તમાસી હો, ચિન્રતિ ચેતનગુન ચિન્હ, સાચો સોઉ સંન્યાસી હો.
- ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પદ ૩૯. જે સાચો આત્માર્થી છે, મુમુક્ષુ છે તે તો આ બધા અલગ અલગ લિંગ, વેશ કે ક્રિયાઓ જોતો નથી. તે માત્ર ચૈતન્ય, ચેતના તરફ દૃષ્ટિ રાખે છે. ઉપાધ્યાયજીએ આવી દષ્ટિવાળાને જ સાચો સંન્યાસી કહ્યો છે.
આપણે જ્યાં જુદું પડતું હોય, જ્યાં ભેદ પાડવામાં આવતા હોય એ બધામાં નહીં જવાનું. આપણે જ્યાં એકતા હોય, સમાનતા હોય, એક જ ચૈતન્યની દૃષ્ટિ હોય તે તરફ જવાનું.
ને કયા /' – એમ ભગવાને કહ્યું એનો અર્થ એ કે આત્મા એક છે. આપણે તો ‘નોને ગાય ”એટલે કે આત્મા અનેક છે એવો અર્થ કર્યો – આ ભાઈ જુદા, અમે જુદા. અમે સ્થાનકવાસી, તમે દેરાવાસી, અમે દિગંબર, તમે શ્વેતાંબર. આટલી છીછરી સાંપ્રદાયિક માન્યતાઓ હોય
ત્યાં ભાવસામાયિક ક્યાંથી થાય કે સામાયિકભાવ ક્યાંથી આવે? અને એ ન આવે તો સાચા અર્થમાં સામાયિક થયું એમ કેવી રીતે કહી શકાય? અને પછી આ બધી ક્રિયાનું ફળ ક્યાંથી મળે? કેવી રીતે મળે?
હું ઠેઠ મલાડથી ઘાટકોપર આવ્યો છું એટલે મારે તમારી સાથે આજે એક સોદો કરવો છે.