SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષહો - ૨૨ ભેદ - પરિષહો રર પરિષદોમાં બે ધર્મનો ત્યાગ ન કરવા માટે છે. દર્શન પરિષહ (શ્રદ્ધા, સમ્યકત્વ) અને પ્રજ્ઞા પરિષહ. બાકીના ૨૦ કર્મની નિર્જરા માટે છે. ૧. સુધાઃ સર્વ અશાતા વેદનીયથી અધિક ક્ષુધા વેદનીય છે. અશુદ્ધ આહાર ગ્રહણ ના કરવો, આર્તધ્યાન ન કરવું. ૨. પિપાસા ? તૃષા. ૩. શીત પરિષહ : અતિશય ટાઢ. ૪. ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી, વસ્ત્રથી વીંઝવાનો વિચાર પણ ન કરે. ૫. દંશ પરિષહ ડાંસ, મચ્છર, જૂ, માંકડના ડંખ. ૬. અચેલ પરિષહ : વસ્ત્ર સર્વથા ના મળે અથવા જીર્ણ મળે, જીર્ણ વસ્ત્ર ધારણ કરવું પરિગ્રહ છે એમ કહેનાર અસત્યવાદી છે કારણ સંયમના નિર્વાહ માટે મમત્વ રહિત ધારણ કરવાથી પરિગ્રહ ન કહેવાય એ જિનેન્દ્ર વચનનું રહસ્ય છે. ૭. અરતિ પરિષહ : અરતિ, ઉદ્વેગ ભાવ. ૮. સ્ત્રી પરિષહ. ૯. ચર્યા પરિષહ : વિહાર કરવો. મુનિએ ૯ કલ્પી વિહાર કરવાનો છે. ૧. વર્ષાકાળ, ૮. શેષકાળ. ૧૦. નૈષધિક પરિષહ શૂન્ય ગૃહ, સ્મશાન, સર્પલીલ, સિંહગુફા, સ્ત્રી પશુ નપુંસક રહિત સ્થાનમાં રહેવું. પાપ અને ગમણાગમણનો જેમા નિષેધ છે તે સ્થાન. (નષેધિકી) ૧૧. શવ્યાઃ પ્રતિકૂળ શૈયાથી ઉગ ન કરવો. ૧૨. આક્રોશ પરિષહ : અજ્ઞાની તિરસ્કાર કરે તો મુનિ તેના પ્રત્યે દ્વેષ ન કરે તે. ૧૩. વધ પરિષહ પૂર્વભાવના કર્મોથી વધ, પ્રહાર આદિ થાય છે તેવું ભાવવું. ૧૪. યાચના પરિષહ : સાધુ કોઈપણ વસ્તુ (તૃણ, ઢેકું) માગ્યા વગર ગ્રહણ ના કરે. લજ્જા અને માન રહિત ભિક્ષા માગવી. Kakkkkkkkkkkkkkkkk ૪૨૬ kkkkkkkkkkkkkkkkkk
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy