SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ >>>> સુવાક્યો વડે આત્મજ્ઞાત ! * જેવો ભાવ તેવો ભવ, જેવી મતિ તેવી ગતિ. * સમ્યક્ત્વ દ્વારા આત્માનું આત્મિક સુખ પ્રગટ થાય છે ! ★ વજન ઓછું થતાં જેમ સંવેદન થાય છે, તેમ કર્મ ઓછું થતાં જીવને સંવેદન થાય છે. * કર્મનો નાશ શુભ ધ્યાન વડે થાય છે. ધ્યાન ૧૧મું તપ છે. મૃત્યુ હોય ત્યાં સુખ નથી, અજન્મા બનવાનું છે. * જ્યારથી ધર્મભાવના શરૂ થઈ ત્યારથી ઉંમ૨ની ગણત્રી થાય. * આત્માના સામર્થ્યમાં વૃત્તિ જોડાય ત્યારે ઉપયોગ (ચેતના) આખા શરીરમાં વાયુ સાથે ફરતો નથી એટલે સંવેદના અટકી જાય છે. ગજસુકુમાલને માટે સગડી બળતી હતી, સંવેદન નહોતું ! * આ ભવમાં કર્મક્ષય કરવો હોય તો જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય જોઈએ. આવા ધર્મમાર્ગમાં પ્રવેશ ક૨વા, આપણામાં રસ-કસ હોવા જોઈએ. * મનોબળ સંસારમાં જ ગયું એટલે વૃદ્ધાવસ્થામાં ધર્મ કરતી વખતે રસ-કસ ખૂબ ઓછા બાકી રહ્યાં હોય છે. * ચક્રવર્તી જેવાઓએ પણ સંસારમાં સુખ જોયું નથી. * સ્વભાવથી છૂટે તે સંસારમાં ડૂબે. * પ્રતિકૂળ સંજોગો કે વ્યક્તિ સામે સમતામાં સ્વસ્થ રીતે જીવતાં શીખો. * વસ્તુનું સ્વરૂપ જાણીએ. ફ્રીજમાં પણ દહીં ખાટું થાય જ છે ! * આયુષ્ય પૂરું થતાં સ્વ લખાય છે. સ્વર્ગમાં પણ સુખ ક્યાં છે? ત્યાંથી ફરી જન્મ લેવો જ પડે છે. સમકિત વગરના સ્વર્ગનાં જીવો અવશ્ય વનસ્પતિકાય કે અાયમાં જન્મે છે ! *વૈભવ તને છોડે તે પહેલાં તું વૈભવને છોડ. ****************** 8 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy