SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ **** ૩. ભવનો તીવ્ર ભય ૪. વિધિનું તાત્ત્વિક બહુમાન. સંસારની દરેક પ્રવૃત્તિઓમાં શ્રમ લેવાનો આવે જ છે. સંસાર એટલે સંઘર્ષમય જીવન. અહિં બળવાન બનવા કસરત કરવી પડે. મોક્ષમાં વગ૨ કસરતે અનંત બળ છે. પુદ્ગલને વગ૨ ભોગવ્યેથી સુખ ક્યાંથી એ ગ્રંથિ ત્યાં તૂટી જાય છે. જીવ બોધિબીજ પામે ત્યારથી ક્રમશઃ માર્ગાભિમુખ થાય. મિથ્યાત્વની ગાંઠ ૫૨ વજપ્રહા૨ થાય. પહેલું ગુણસ્થાનક એ પણ આત્માનો જબરદસ્ત પુરુષાર્થ. તેમાં પુદ્ગલ અને આત્મા સંબંધી ધ૨ખમ ફેરફાર શરૂ થઈ જશે. સાધના કાળમાં જે કષ્ટો (પરિષહ-ઉપસર્ગો) ગુણની પુષ્ટિ કરે તે જ સહન કરવાનાં. પુદ્ગલનાં સુખ મેળવવાની સહજ આકાંક્ષા જ ખૂબ નુકસાનકારક છે, કર્મજન્ય સુખની નહિં. વિકૃતિઓ મનનાં પરિણામથી જ આવે તેને નાબૂદ કરવાની અને પરમ શુદ્ધભાવ પણ મનનાં પિરણામોથી પ્રગટે. આમ, મન કર્મબંધ અને મોક્ષ બંનેનું કારણ છે. ક્રિયા પરિણામો સિદ્ધ કરવાનું સાધન છે. ક્રિયા બિનજરૂરી નથી! મોક્ષ માર્ગમાં આંતરિક પરિણામો જ કેન્દ્રસ્થાને છે. માટે ક્રિયાવાદને શુદ્ધ પરિણામવાદ સાથે સાંકળીને જ આચરવાનું છે. અધિગમથી સમકિત પામનારા જીવો સંખ્યાત ગણા. નિસર્ગથી સમકિત પામનારા જીવો અબજોમાં એક હોય. *** *ગુણોનો અદ્વેષ એટલે ? * તેનાથી તાત્ત્વિક વૈરાગ્ય પ્રગટે મુક્તિનો અદ્વેષ આવે. - - - ચરમાવર્ત કાળ અપુનર્બંધક અવસ્થા, યોગની પ્રથમ ભૂમિકા અર્થાત પહેલા ગુણસ્થાનકમાં જીવનો તાત્ત્વિક પ્રવેશ. * મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા ચરમયથા પ્રવૃત્તિકરણ * મુક્તિની તાત્ત્વિક ઈચ્છા પ્રગટે બોધિબીજની પ્રાપ્તિ-પ્રથમ યોગદષ્ટિ. ****************** 319 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy