SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમવાય * ૫ સમવાય : એક આત્મા મોક્ષે ગયો ત્યારે જ આપણો આત્મા બહાર નીકળ્યો તેમાં નિયતિ, ભવિતવ્યતા મુખ્ય કારણ. બાકીનાં ૪ ગૌણ કારણ. આ સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ. વિશ્વમાં કોઈપણ કાર્ય કારણ વગર થતું જ નથી. આ બાળક ૯ મહિને જ કેમ જન્મ? કેરી ઉનાળામાં જ કેમ? વાસના યુવાનીમાં જ કેમ જાગે બાળપણમાં કેમ નહીં? મુખ્ય કારણ કાળ. આ કાંટા તીક્ષ્ણ જ કેમ? અગ્નિ ગરમ કેમ? બરફ ઠંડો કેમ? દહીં દૂધમાંથી જ કેમ થાય, પાણીમાંથી કેમ નહીં? કોરડું મગ કેમના સીઝે? મુખ્ય કારણ સ્વભાવ. જ એક હોશિયારને બીજો ઠોઠ કેમ? એક શ્રીમંત અને બીજો ગરીબ કેમ? વિચિત્રતાઓ કેમ? મુખ્ય કારણ કર્મ કે પુરુષાર્થ. આપણા પર મોક્ષે જઈ જે જીવે ઉપકાર કર્યો તેનું સાટું ના વાળીએ તો સજ્જન કહેવાઈએ? ના. આપણે પણ બીજા અવ્યવહાર રાશિના નિગોદના જીવને બહાર લાવવા મોક્ષે જવું જ જોઈએ! જ પાંચ સમવાય : દરેક કાર્યમાં મુખ્ય, ગૌણપણે ૫ કારણો કામ કરે છે. ૧. નિયતિ, ૨. સ્વભાવ, ૩. કાળ, ૪. કર્મ, ૫. પુરુષાર્થ. જ જો ઉદાર, સંતોષી, પ્રસન્ન ચિત્ત બનવું હોય તો કેન્દ્રમાં ભગવાનને રાખી જીવન જીવો. આત્માને અવ્યવહાર રાશીમાંથી બહાર કાઢવામાં મુખ્ય કારણ નિયતિ છે. આત્મા ભવ્ય છે કે અભવ્ય, તેમાં મુખ્ય કારણ સ્વભાવ છે. + અચરમાવર્તકાળમાંથી ભવ્ય આત્માઓને ચરમાવર્તકાળમાં પ્રવેશ કરવામાં મુખ્ય કારણ કાળ છે. જ્યારે આત્માનો કાળ પાકે ત્યારે ભવ્ય આત્માઓનો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઈ જાય. =================^ ૨૧૩ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy